Description
આ પુસ્તકમાં ગાંધીહત્યા સાથે સંબંધિત ઘણીબધી નાનીમોટી ઐતિહાસિક હકીકતો જાણવા મળશે. એમાંની કેટલીક હકીકતો આ મુજબ છે:
[1] નથુરામ ગોડસેએ ગાંધીને મારી નાખવા માટે પાકિસ્તાનને ₹ 55 કરોડ આપવા અંગેનું બહાનું શોધી કાઢેલું. હકીકતમાં ગાંધીની હત્યાને એ પ્રશ્ન સાથે કશી લેવાદેવા નહોતી. કેમકે 55 કરોડનો પ્રશ્ન ઉદભવ્યો ન હતો ત્યારે પણ ગાંધીજીની હત્યાનો પ્રયાસ ગોડસેએ કર્યો હતો. ગોડસેએ અદાલત સમક્ષ જે નિવેદન આપેલ તેમાં કુતર્ક છે. ગાંધીજીની હત્યા માટેનું કારણ જુદું જ હતું !
[2] નથુરામ તેમના સાગરીતો સાથે ગાંધીની હત્યા માટે દિલ્હી જતાં અગાઉ વિનાયક દામોદર સાવરકરને મુંબઈમાં મળેલા ત્યારે સાવરકરે તેમને કહેલું કે: ‘યશસ્વી થાઓ !’
[3] વિનાયક સાવરકરને કપૂર પંચે 1969 માં ગાંધીની હત્યા માટે લગભગ દોષિત ઠેરવેલા.
[4] અંગ્રેજોના ગયા બાદ ભારતમાં નથુરામ, સાવરકર અને તેમના જેવાઓ રૂઢિચુસ્ત પેશ્વા રાજ- બ્રાહ્મણ રાજ સ્થાપવા માગતા હતા અને ધર્મનિરપેક્ષ તથા સમાનતામૂલક લોકશાહી ઇચ્છતાં ગાંધી તથા કોંગ્રેસ એમના માર્ગમાં અવરોધરૂપ હતા, એટલે જ ગાંધીની હત્યા થઈ.
[5] વિનાયક સાવરકર તો મહંમદ અલી ઝીણાની જેમ જ ભારતમાં બે રાષ્ટ્રો વસે છે. ભારતના ભાગલા માટે તો એ બંને જવાબદાર હતા, ગાંધી ભાગલા માટે જવાબદાર હતા એવો એક પણ પુરાવો મળતો નથી.
[6] 1942માં આખો દેશ જ્યારે ‘ભારત છોડો’ આંદોલનમાં જોડાયેલો હતો ત્યારે નથુરામના સાથીઓ અને સાવરકર અંગ્રેજોને સાથ આપતા હતા. તેઓ અંગ્રેજ સેનામાં હિન્દુઓની ભરતી માટે અભિયાન ચલાવતા હતા જે સેના સુભાષચંદ્ર બોઝની ‘આઝાદ હિંદ ફોજ’ સામે લડતી હતી !
[7] ગાંધીજીની હત્યા ભગવાનોએ જ કરી : (1) નથુરામ ગોડસેનું મૂળ નામ જ રામચંદ્ર હતું. નથુરામ ચિતપાવન બ્રાહ્મણ. (2) નથુરામનો ભાઈ ગોપાલ ગોડસે ચિતપાવન બ્રાહ્મણ. (3) નારાયણ દત્તાત્રેય આપ્ટે. નારાયણ એટલે ભગવાન વિષ્ણુ. તે પણ ચિતપાવન બ્રાહ્મણ. (4) વિષ્ણુ રામચંદ્ર કરકરે. વિષ્ણુ તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની ત્રિપુટીમાંના એક. એ પણ ચિતપવન બ્રાહ્મણ. (5) દત્તાત્રેય સદાશિવ પરચુરે. દત્તાત્રેય પણ ભગવાન અને સદાશિવ તો ભગવાન ખરા જ. એ પણ ચિતપાવન બ્રાહ્મણ. (6) શંકર કિસ્તૈયા. ભગવાન શંકર કે જે ભગવાનની ત્રિપુટીમાંના એક. (7) મદનલાલ કશ્મીરીલાલ પાહવા. મદન એટલે કામદેવ. કાળીનાગને યમુના નદીમાં નાથનારા મદનગોપાલ કહેવાયા તે કૃષ્ણ. (8) પુરાવાને અભાવે છોડી મૂકવામાં આવેલા, તે વિનાયક દામોદર સાવરકર. વિનાયક એટલે વિઘ્નહર્તા ગણપતિ. તે પણ ચિતપાવન બ્રાહ્મણ. હત્યામાં બ્રાહ્મણોનું જૂથ શું સૂચવે છે?
[8] અસ્પૃશ્યતા નિવારણનું ગાંધીનું આંદોલન રૂઢિચુસ્ત ગોડસે અને સાવરકર આણી મંડળી અને તેમની હિન્દુ મહાસભાને ગમતું નહોતું. ગાંધીની હત્યા માટેનું એ એક મહત્ત્વનું કારણ હતું.







