Additional information
| Weight | 49 g |
|---|
₹15.00
ઈ.વી. રામાસામી પેરિયાર પૂરું નામ છે ઇરોડ વેંક્ટ રામાસામી પેરિયાર.
આજે ૧૭ સપ્ટેમ્બર એટલે પેરિયાર રામાસામીનો જન્મદિવસ છે. ગુજરાતમાં તમે બહુજન મહાનાયક તરીકે પેરિયાર રામાસામીના નામને ઓળખતા હશો પણ શું તમે બહુજન મૂવમેન્ટ માં તેમના મહત્વપૂર્ણ યોગદાન વિશે જાણો છો?
તો આવો આજે તેમના જન્મદિન નિમિત્તે તેમની કારકિર્દી નો ટુંકમાં પરિચય મેળવીએ.
વીસમી સદીમાં બહુજન મૂવમેન્ટમાં ડૉ.બાબાસાહેબ આંબેડકર બાદ પેરિયાર રામાસામીને મૂકી શકો તેટલું મહત્વપૂર્ણ યોગદાન તેમનું રહ્યું છે. પેરિયારને દક્ષિણના આંબેડકર પણ કહેવામાં આવે છે જેના ઉપરથી તમે તેમની મહત્તા ને સમજી શકો છો. તેઓ એક દિર્ઘદ્વષ્ટા, સ્પષ્ટ વક્તા, આક્રમક નેતા, શ્રેષ્ઠ રેશનાલીસ્ટ, અનોખા આંદોલનકારી હતા. તેમના વિચારોની તાકાતનો અંદાજ તમે એ વાતથી લગાવી શકો કે આજે ભારતના તમામ રાજ્યોમાં અરાજકતા ફેલાવી રહેલી હિંદુત્વની વિચારધારા તમિલનાડુમાં પ્રવેશી શકતી નથી જેનું મુખ્ય કારણ છે પેરિયારના વિચારો.
એક આદર્શ નેતા :
3682 in stock
| Weight | 49 g |
|---|