मेघवाल बाबा रामदेव

(2 customer reviews)

30.00

બહુજન મહાપુરુષોનું બ્રાહ્મણીકરણ કેવી રીતે થાય છે ? તે સમજવા માટેનું પુસ્તક.
”મેઘવાળ બાબા રામદેવ” પુસ્તકના ગુજરાતી અનુવાદક મહેન્દ્ર વાળા શું કહે છે? તે વાંચો.
—–
બાબા રામદેવપીર મેઘવાળ સમાજના આરાધ્ય દેવ છે. એમના નામે આજે પાટ, પ્રસાદી અને મંડપ પુષ્કળ પ્રમાણમાં થાય છે. મહાધરમ, નિજયાધરમ, ઉપ બીજ મારગ, જતીસતીનો ધરમ વગેરે અનેક નામોથી ઓળખાતા આ ધર્મ – સંપ્રદાયમાં એમના આરાધ, સાવળ, ભજન, ધૂન વગેરે મુખ્યત્વે ગવાય છે.
સામાન્ય રીતે કોઈ પણ મહાપુરૂષને ભગવાન બનાવી એમને પૂજાપાટ, નૈવેદ્ય, આરતી, મંદિરોમાં કેદ કરી એમના પરચાઓનો પ્રચાર – પ્રસાર કરી એમના મહાત્મ્યને વધારી એમના જ્ઞાન, બોધ, ઉપદેશને ભૂલાવી દેવામાં આવે છે. એક વાકય છે કે, ‘જેની પૂજા થાય એનું પતન થાય’, આપણા મહાપુરૂષો બાબતે આપણે પણ કંઈક આવું જ કર્યુ છે. એના ઘણા કારણો છે.
પ્રથમ કારણ જાેઈએ તો મહાપુરૂષોના ઉપદેશોનું આચરણ કરવું અતિ મુશ્કેલ છે. બીજુ અભણ, અજ્ઞાની અને સામાન્ય ગરીબ પ્રજા એમના ઉપદેશોને સમજી શકતી નથી. ત્રીજુ મોટા ભાગના લોકો લાલચુ અને ભયભીત હોય છે. આમ, આવા અન્ય અનેક કારણોને લઈને મહાપુરૂષોના પ્રગતિ અને પરિવર્તનના અભિયાનને એમના જ અનુયાયીઓ પતનના પંથે લઈ જાય છે. તમને નથી લાગતું કે, આપણે રામદેવપીરની બાબતમાં આવું કંઈક કરી રહ્યા છીએ ! ?

20 in stock

Additional information

Weight 70 g

2 reviews for मेघवाल बाबा रामदेव

  1. Paresh kumar

    75, Dhankhrol,At&Post-Bayal-Dhankhrol,Ta-Modas,Dist-Arvalli,Pin cod-383316

  2. Paresh kumar

    75, Dhankhrol At&Post:-Bayal -Dhankhrol,Ta:-modasa,Dist:-Arvalli,Pin code:-383316

Add a review

Your email address will not be published. Required fields are marked *

You may also like…